Tuesday, June 17, 2025
Google search engine
HomeNewsNationalપરીક્ષા પે ચર્ચાઃ વિદ્યાર્થીઓને PM મોદીનો સફળતાનો મંત્ર

પરીક્ષા પે ચર્ચાઃ વિદ્યાર્થીઓને PM મોદીનો સફળતાનો મંત્ર

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદી ખાસ કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચા 2023 હેઠળ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં વિદ્યાર્થીને સંબોધિત કરી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થી લાઇવ ટેલિકાસ્ટ દ્વારા આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. પરીક્ષા પે ચર્ચા એક અનોખો કાર્યક્રમ છે, જેનું આયોજન પ્રતિ વર્ષ બોર્ડની પરીક્ષા પહેલાં કરવામાં આવે છે. વર્ષ 2018માં વડા પ્રધાન મોદીએ આ કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો, જેમાં દેશનાં બાળકો શિક્ષકો અને માતાપિતાથી રૂબરૂ હોય છે. આ વર્ષ 38 લાખથી વધુ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કર્યું છે, જે ગયા વર્ષથી બે ગણાથી વધુ છે.

કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં અત્યાર સુધી આશરે 20 લાખ સવાલ આવ્યા છે, જેને NCRT દ્વારા શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. એ 20 લાખ સવાલમાં વિદ્યાર્થીઓએ ફેમિલી પ્રેશર, સ્ટ્રેસ મેનેજમેન્ટ, હેલ્થ અને ફિટ કેવી રીતે રહેવાય, કેરિયરની પસંદગી વગેરે જેવા વિષય જેવા સવાલ પૂછ્યા છે. તેમણે કહ્યું હતું કે આ કાર્યક્રમ માટે 155 દેશોએ રજિસ્ટ્રેશન કર્યું છે.

રજિસ્ટ્રેશનમાં 17,536 ટકાનો ઉછાળો

આ વર્ષે રજિસ્ટ્રેશન કરાવવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પરીક્ષા પે ચર્ચાની છઠ્ઠી આવૃત્તિ માટે કુલ 38,80,000 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જે 2022ની તુલનાએ 146 ટકા વધુ છે, જ્યારે એ પહેલી આવૃત્તિની તુલનાએ રજિસ્ટ્રેશન કરાવવાળાઓની સંખ્યા 17,536 ટકા વધી ગઈ છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular