Thursday, May 15, 2025
Google search engine
HomeNewsNationalનાયડુ કે નીતીશકુમાર સાથ છોડશે તો પણ સરળતાથી બનશે મોદી સરકાર!

નાયડુ કે નીતીશકુમાર સાથ છોડશે તો પણ સરળતાથી બનશે મોદી સરકાર!

નવી દિલ્હીઃ કેન્દ્રમાં ચૂંટણી પરિણામો પછી સરકાર રચવાની કવાયત તેજ થઈ ગઈ છે. NDAની પાસે સ્પષ્ટ બહુમત છે, પણ ફરી બધાની નજર નીતીશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ પર છે, જે કિંગમેકર બનીને ઊભર્યા છે. બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધનના કેટલાય નેતાઓ દાવા કરી રહ્યા છે એ પણ સરકાર બનાવી શકે છે. તેઓ પણ વાંરવાર નીતીશ અને નાયડુનું નામ લઈ રહ્યા છે.

ભાજપની આગેવાની હેઠળ NDA ગઠબંધનમાં નીતીશની પાર્ટી JDU, ચંદ્રબાબુ નાયડુની પાર્ટી TDP પણ સામેલ છે. ચૂંટણીમાં NDAને 292 સીટો મળી છે, જે બહુમતના આંકડા 272થી 20 સીટ વધુ છે. એટલે NDA બહુ સરળતાથી એકલા હાથે સરકાર બનાવવાની સ્થિતિમાં છે.

NDAની સૌથી મોટી પાર્ટી ભાજપે એકલા હાથે 240 સીટો જીતી છે, જે બહુમતના આંકડાથી 32 ઓછી છે. જો NDA ગઠબંધનમાં સામેલ ત્રણ સહયોગી- ચંદ્રબાબુ નાયડુ (16 સીટો) એકનાથ શિંદે (સાત સીટો) અને નીતીશકુમાર (12 સીટ)ની સીટ જોડવામાં આવે તો એ પૂરી થઈ જાય.

હવે જો ચંદ્રબાબુ કે નીતીશકુમાર મોદી સરકાર બનાવવામાં આનાકાની કરે અને એક પાર્ટી ખસી જાય તો પણ ભાજપ કેન્દ્રમાં સરકાર બનાવી શકે છે. જો TDP NDAમાં ખસે તો ફણ NDAની પાસે જરૂરી 272થી ચાર સીટો (292-16= 276) સીટો હશે.

જો નીતીશકુમાર સાથે છોડી દે તો NDA ગઠબંધનની સીટો ઘટીને 280 (292-12=280) પર આવી જશે. એ બહુમતથી જરૂરી 272 સીટોથી આઠ સીટો વધુ છે. આમ નીતીશકુમારના વિના પણ ભાજપ સરકાર બનાવવાની સ્થિતિમાં છે. આમ ફિર એક બાર મોદી સરકાર જ બનશે.

 

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular