Friday, June 27, 2025
Google search engine
HomeNewsNationalસંભલમાં મસ્જિદ, મદરેસા અને અનેક ઘરોમાંથી વીજચોરી પકડાઈ

સંભલમાં મસ્જિદ, મદરેસા અને અનેક ઘરોમાંથી વીજચોરી પકડાઈ

લખનૌઃ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં ઘર, મસ્જિદ અને મદરેસાઓમાં ગેરકાયદે રીતે વીજચોરી થતી હતી. લોકો એક ફદિયું પણ વીજ બિલ નહોતા જમા કરતા. આ ઘરોમાં ગેરકાયદે રીતે વીજપુરવઠો પણ થઈ રહ્યો હતો. વહીવટી તંત્રને આની જાણ થતાં જિલ્લાધિકારી અને પોલીસ અધિકારીએ કાર્યવાહી માટે ચાર્જ સંભાળ્યો હતો. ત્યાર બાદ વીજ ચોરીના 176 લોકો દોષી માલૂમ પડ્યા હતા. એમાં ચાર મસ્જિદ અને એક મદરેસા પણ સામેલ છે. કુલ રૂ. 3.45 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

વીજ વિભાગની ટીમની સાથે વહીવટી અધિકારી અને પોલીસ ટીમની હાજરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દીપા સરાય મહોલ્લા, મિયાં સરાય, રાયસત્તી અને હિન્દુખેડામાં કરવામાં આવ્યા હતા, જેમાં મોટા પાયે વીજ ચોર પકડવામાં આવ્યા હતા. વહીવટી તંત્રએ વીજ ચોરી કેસમાં દંડ વસૂલવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે.

એક મસ્જિદમાં ચોરીની વીજ સાથે આશરે 150 ઘરોમાં એ વીજ પુરવઠો પહોંચાડાતો હતો. મસ્જિદને એક રીતે વીજ ઘર બનાવી દેવામાં આવ્યું હતું, કેમ કે મસ્જિદની ઉપર વાયરોનો ગુચ્છો મળ્યો હતો. જોકે કાર્યવાહીની સૂચના મળતાં લોકોએ ઘર કે થાંભલા પરથી કેબલ કનેક્શનને કાપી નાખ્યાં હતાં. આ ઉપરાંત વિવિધ સ્થાનોએ કેબલ કાપવાનાં નિશાન મળ્યાં હતાં, જેનાથી અંદાજ છે કે આશરે 300 ઘરોમાં વીજ ચોરી કરવામાં આવતી હતી. વીજ વિભાગના અધિયારીઓએ SP સાંસદ જિયાઉર્રહેમાન બર્કના વિસ્તારમાં વીજ ચેકિંગ ઝુંબેશ ચલાવી હતી, જેમાં મોટા પાયે વીજ ચોરી પકડવામાં આવી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular