Friday, May 16, 2025
Google search engine
HomeNewsNationalED અરવિંદ કેજરીવાલના 10 દિવસના રિમાન્ડ માગે એવી શક્યતા

ED અરવિંદ કેજરીવાલના 10 દિવસના રિમાન્ડ માગે એવી શક્યતા

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની EDએ ધરપકડ કર્યા પછી પક્ષા કાર્યકર્તાઓ અને સમર્થકોએ વિરોધ દર્શન કરી રહ્યા છે. દિલ્હીના ITO અને આમ આદમી પાર્ટી ઓફિસ અને ભાજપની ઓફિસની બહાર સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે. દિલ્હી પોલીસે ભાજપ ઓફિસ જતા માર્ગ પર પણ પોલીસ કર્મચારીઓને તહેનાત કર્યા છે. કેજરીવાલના ઘરેથી ગઈ કાલે મહત્ત્વના દસ્તાવેજો મળ્યા છે.

દિલ્હી લિકર કેસમાં ED આપ પાર્ટીને પક્ષકાર બનાવશે. એજન્સી થોડી વારમાં કેજરીવાલને કોર્ટમાં હાજર કરશે અને 10 દિવસના રિમાન્ડ માગશે. જોકે કેજરીવાલે ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે, જેના પર આજે સુનાવણી થશે.કેજરીવાલની ધરપકડ પછી દિલ્હી સરકારમાં મંત્રી આતિશી માર્લેનાએ કહ્યું હતું કે લોકસભા ચૂંટણીની ઘોષણા પછી તરત કેજરીવાલની ધરપકડથી માલૂમ પડે છે કે વડા પ્રધાન મોદી તેમનાથી કેટલા ભયભીત છે. અમે ધરપકડની વિરુદ્ધ રસ્તા પર ઊતરીશું. દિલ્હીના મુખ્ય મંત્રીની ધરપકડ એ લોકતંત્રની હત્યા છે, એમ તેમણે કહ્યું હતું.

EDએ કેજરીવાલ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ કેવિયેટ અરજીમાં EDએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ કોઈ પણ આદેશ આપતાં પહેલાં તેમની દલીલો પણ સાંભળશે. EDએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ કોઈ આદેશ આપતાં પહેલાં તેમનો પક્ષ પણ સાંભળે.

ED કેજરીવાલની 10 દિવસોની કસ્ટડી માગશે. ED વાસ્તવમાં શરત રેડ્ડી, સમીર મહેન્દ્રુ, રાઘવ રેડ્ડીનાં નિવેદનોને આધારે કેજરીવાલની કસ્ટડી માગશે. આ બધા આરોપીઓએ EDને જણાવ્યું હતું કે રૂ. 100 કરોડની લાંચમાં કેજરીવાલની ભૂમિકા હતી, જેમાં કેજરીવાલે કહ્યું હતું કે વિજય નાયર મારો માણસ છે. તમે એના પર વિશ્વાસ કરી શકો છો.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular