Sunday, June 15, 2025
Google search engine
HomeNewsNationalદિલજીત દોસાંજે ખેડૂતવિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો

દિલજીત દોસાંજે ખેડૂતવિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો

નવી દિલ્હીઃ ભારતીય કલાકાર દિલજીત દોસાંજે સતત ખેડૂત આંદોલનને સમર્થન કરી રહ્યા છે. દિલજીતે ફરી એક વાર એ ટ્રોલર્સને ફટકાર લગાવી છે, જે ખેડૂત આંદોલન વિરુદ્ધ સોશિયલ મિડિયા પર ખોટી અફવા ફેલાવી રહ્યા છે. હાલમાં કેટલાક દિવસો પહેલાં સોશિયલ મિડિયા પર એક ફોટો વાઇરલ થયો છે, જેમાં કેટલાક લોકો સવાલ ઊભા કરી રહ્યા છે કે આ લોકો આંદોલન કરી રહ્યા છે કે પિકનિક મનાવી રહ્યા છે? આ ટ્રોલર્સને હવે દિલજીત દોસાંજેએ ટ્વીટમાં જડબાતોડ જવાબ આપ્યો છે. દિલજીતે લખ્યું હતું કે જ્યારે ખેડૂત ઝેર ખાઈ રહ્યો હતો ત્યારે કોઈ ચિંતા નહોતી અને હવે જ્યારે ખેડૂત પિત્ઝા ખાઈ રહ્યો છે, ત્યારે એ ન્યૂઝ બની ગયા છે.

દિલજીતનું ટ્વીટ ઇન્ટનેટ પર વાઇરલ

દિલજીતે ટ્વીટ કરતાં એ ઇન્ટરનેટ પર વાઇરલ થઈ ગયું છે. લોકો ખેડૂતોને ટ્રોલ કરવાવાળા વિરુદ્ધ ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

પાછલા કેટલાક દિવસોથી દેશના અન્નદાતા કેન્દ્ર સરકારના નવા ત્રણ કૃષિ કાયદાઓની સામે વિરોઝ પ્રદર્શન કરી રહ્યા છે. આ આંદોલન દરમ્યાન સરકાર અને ખેડૂતોની વચ્ચે મંત્રણા થઈ ચૂકી છે, પણ અત્યાર સુધી કોઈ નિરાકરણ નથી નીકળ્યું.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular