Wednesday, June 18, 2025
Google search engine
HomeNewsNationalકેજરીવાલને કોરોના થયો; સ્વયંને આઈસોલેટ કર્યા

કેજરીવાલને કોરોના થયો; સ્વયંને આઈસોલેટ કર્યા

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને કોરોનાવાઈરસનો ચેપ લાગુ પડ્યો છે. આ જાણકારી એમણે પોતે જ ટ્વિટરના માધ્યમથી આપી છે. એમણે કહ્યું છે કે પોતાનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. બીમારીના લક્ષણ હળવા પ્રકારના છે.

કેજરીવાલે વધુમાં એમ પણ લખ્યું છે કે, ‘મેં સ્વયંને મારા ઘરમાં આઈસોલેટ કરી દીધો છે. છેલ્લા અમુક દિવસોમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા હતા તેઓ મહેરબાની કરીને કોરોનાનો ટેસ્ટ કરાવી લે.’

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular