Monday, June 9, 2025
Google search engine
HomeNewsNationalનાગપુરમાં 15 માર્ચથી એક અઠવાડિયું સજ્જડ લોકડાઉન

નાગપુરમાં 15 માર્ચથી એક અઠવાડિયું સજ્જડ લોકડાઉન

નાગપુરઃ મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસ રોગચાળાના કેસ ફરી વધવા લાગ્યા છે ત્યારે રાજ્ય સરકારે નાગપુર શહેરમાં આ બીમારીનો ફેલાવો રોકવા માટે 15 માર્ચથી 21 માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે.

લોકડાઉનના દિવસો દરમિયાન માત્ર આવશ્યક સેવાઓને જ ચાલુ રાખવાની પરવાનગી રહેશે. શાકભાજી અને દૂધની દુકાનો તથા અન્ય આવશ્યક સેવાઓ ચાલુ રહેશે જેથી લોકોને કોઈ તકલીફ ન પડે. બરાબર એક વર્ષ પહેલાં 15મી માર્ચે જ નાગપુરમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. મહારાષ્ટ્રમાં ગઈ કાલે બુધવારે એક જ દિવસમાં કોરોનાના 13,659 કેસ નોંધાયા હતા, સમગ્ર દેશમાં એક દિવસમાં નોંધાયેલા કેસોનો 60 ટકા હિસ્સો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular