Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsNationalશા માટે અત્યારે તમારા હાથમાં રોકડ રકમ હોવી જરૂરી?

શા માટે અત્યારે તમારા હાથમાં રોકડ રકમ હોવી જરૂરી?

નવી દિલ્હી: કોરોના વાઈરસના ભય વચ્ચે શેર માર્કેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ? શું આ તમારા માટે તક છે?  પહેલેથી ખરીદેલા શેરો વધુ ખરીદવા જોઈએ?… આવા બધા પ્રશ્નોનો તમારા મનમા ચાલતા હશે. સમગ્ર વિશ્વ જે માહામારીથી ડરી રહ્યું છે તે એટલી અલગ છે કે આપણે ક્યારેય જોયું નથી. આપણે એ વિચારવું પડશે કે આગળ શું કરવું….

કોરોના જેવી મહામારીના સમયે તમને તમારા નાણાની ચિંતા થવી સ્વભાવિક છે. શેરબજાર અને અન્ય જગ્યાએ તમારા રોકાણમાં ઘટાડતા મૂલ્યને લઈને ચિંતા થવી વાજબી છે પરંતુ આ ચિંતાને એક બાજુ મૂકી દો. અહીં આપણે જાણીશું કે, કોરોનાના વધતા જતા ભય વચ્ચે નફો કમાવવાને બદલે શું કરવું જરૂરી છે.

અત્યારે માત્ર એક જ વસ્તુ મહત્વની છે કે તમારા હાથમાં રોકડા રૂપિયા કેટલા છે? સતત ઘટતા જતા શેર બજારમાંથી નાણા ઉપાડવા કે તેમાં રોકાણ કરવું ખૂબ જ મુશ્કેલ છે. જો તમારી પાસે રોકડ ન હોય તો શેર બજારમાંથી નાણા કાઢી લો, ભલે તેમા નુકસાન થઈ રહ્યું હોય. જો બેંકમાં પૂરતી રોકડ છે, તો પૈસા બજારમાં રહેવા દો. રોકાણનો નિર્ણય લેવા માટે આ યોગ્ય સમય નથી. હાલ આપણે વોર ઝોનમાં છીએ જ્યાં જીવન બચાવવાને પ્રાથમિકતા છે. આ સ્થિતિમાં જરૂરી છે, તમારી પાસે ઓછામાં ઓછા ત્રણ મહિનાના ખર્ચ માટે રોકડા નાણા હોવા.

સોશિયલ મીડિયા પર કોરોના વિશે ઘણી અફવાઓ ચાલી રહી છે. પણ તમારે સોશિયલ મીડિયાને બાજુ પર મૂકી સરકાર જે સત્તાવાર જાહેરાત કરે તેના પર જ ધ્યાન આપવું જોઈએ. સરકારની દરેક સલાહને અનુસરો. અને સોશિયલ મીડિયાથી દૂર રહો.

કંપનીઓએ આ હેલ્થ ઈમરજન્સીને નિવારવા અનેક પગલાં લીધાં છે. આવી સ્થિતિમાં, કામકાજ બંધ કરી શકાય એમ નથી. કંપનીઓ દ્વારા ઘરેથી કામ કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. અસરગ્રસ્ત દેશોમાં કામ કરવા જવાનું હાલના સમયે મુલતવી રાખવામાં આવ્યું છે. જ્યાં સુધી તમે કોઈ બિઝનેસ ચલાવી રહ્યા નથી ત્યાં સુધી કોઈ આર્થિક નિર્ણય ન લો. કોઈ સંપત્તિ વેચશો નહીં કે કોઈ નવું રોકાણ ન કરો.

લગભગ 15 દિવસથી બધે શટડાઉન કરવામાં આવ્યું છે. પરંતુ આનો અર્થ એ નથી કે તમે વસ્તુની જમાખોરી શરૂ કરી દો. જો નવા કેસોમાં ઘટાડો થાય તો ટૂંક સમયમાં શટડાઉન સમાપ્ત થઈ શકે છે, નહીં તો પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તે લંબાઈ પણ શકે છે.

તમારા વડીલોની સંભાળ રાખો. તેઓને તમારી જરૂર છે કે નહીં તે જુઓ. સોશિયલ મીડિયાની મદદ લો, જૂથમાં રહેવું સારું નથી લોકોને તેનાથી વાકેફ કરો.

કોરોના જેવી મહામારી વચ્ચે, તમારા રોકાણના મૂલ્યમાં ઘટાડો થવાની ચિંતા કરશો નહીં. કારણ કે સંપત્તિ અને આવકમાં તફાવત હોય છે. માર્કેટમાં રોકાણનું મૂલ્ય ઘટી ગયું છે, પરંતુ તમે જે કંપનીમાં કામ કરો છો તેની આવક વધુ મહત્વપૂર્ણ છે. તમારી નોકરી જાળવી રાખો તમારી આવકનું મૂલ્યાંકન કરો અને ખરાબ દિવસો માટે પહેલાથી તૈયારી રાખો. સંકટ સમયે તમારી સંપત્તિ કામ આવશે.

સંકટના આ સમયમાં, જો તમને કોઈ હોસ્પિટલમાં સ્વૈચ્છિક સેવા આપવા માટે કહેવામાં આવે છે, તો તેમાં ચોક્કસપણે જોડાવ. જો ખોરાકનો કચરો દૂર કરવા કહેવામાં આવે, તો તમે એક એપ્લિકેશન બનાવી શકો છો. જો ચેપગ્રસ્ત લોકોથી સંબંધિત બુલેટિન બોર્ડ તૈયાર કરવાનું કહેવામાં આવે, તો ચોક્કસપણે કરો. તમારું આ યોગદાન સમાજ માટે ઘણુ મહત્વપૂર્ણ છે.

એવું વિચારશો નહીં કે કોરોનાને લઈને તમારી આસપાસ જે દેખાઈ રહ્યું છે તે અવાસ્તવિક છે. જો કે, ગભરાવાની પણ જરૂર નથી. આ મહામારીથી બચવાનો હજુ સુધી કોઈ ચોક્કસ ઉપાય શોધાયો નથી. તેથી  તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular