Monday, May 19, 2025
Google search engine
HomeNewsNationalકોરોના દિલ્હીથી ઓરિસ્સા સુધી કેવી રીતે પહોંચ્યો?

કોરોના દિલ્હીથી ઓરિસ્સા સુધી કેવી રીતે પહોંચ્યો?

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના કેસો સતત વધતા જઈ રહ્યા છે. હવે પૂર્વી રાજ્ય ઓડિશામાં કોરોના વાયરસનો એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ઈટલીથી પાછા આવેલા એક યુવકમાં કોરોના વાયરસના પોઝિટિવ લક્ષણો મળી આવ્યા છે, બાદમાં તેને ભુવનેશ્વરની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. ઓડિશામાં કોરોના વાયરસનો આ પ્રથમ કેસ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ યુવક ઇટલીથી પાછો આવ્યો હતો અને તેમને નવી દિલ્હીમાં થોડાંક દિવસ નજરમાં રાખ્યા હતા. એ સમયે તેમાં કોરોના વાયરસના કોઇ લક્ષણ દેખાયા નહીં આથી તેને ભુવનેશ્વર જવા દીધો.

યુવકે નવી દિલ્હીથી ભુવનેશ્વર સુધી ટ્રેનથી યાત્રા કરી અને 12મી માર્ચના રોજ ઓરિસ્સાની રાજધાની પહોંચ્યો. પરંતુ 13મી માર્ચના રોજ તેને કેટલાંક લક્ષણો દેખાવાનું શરૂ થયા ત્યારબાદ 14મી માર્ચના રોજ તે ચેકઅપ કરાવા પહોંચ્યો અને તેને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો.

રિજનલ મેડિકલ રિસર્ચ સેન્ટરના મતે રવિવારના રોજ રાત્રે જ્યારે તેનો રિપોર્ટ સામે આવ્યો તો કોરોના વાયરસના પોઝિટિવ લક્ષણ દેખાયા. હવે રાજ્યના હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને રાજ્ય સરકાર વ્યક્તિના ટ્રાવેલની સંપૂર્ણ ડિટેલ એકત્ર કરી રહ્યું છે.

કોરોના વાયરસના કારણે વધારે પ્રભાવિત દેશો પૈકીનો એક દેશ ઈરાન પણ છે. ઈરાનમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક ભારતીયો ફસાયા હતા અને થોડા દિવસ પહેલા તો ગુજરાતી જૈન પરિવારના એક ભાઈએ વિડીયો સોશિયલ મીડિયા પર મૂકીને અમિત શાહ અને વડાપ્રધાન મોદી પાસેથી મદદની અપીલ પણ કરી હતી.

31 વર્ષના યુવક ભુવનેશ્વરના જ બરગાહ વિસ્તારના રહેવાસી છે. તેઓ ઇટલીમાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરી રહ્યો હતો, સાથો સાથ એક પાર્ટ ટાઇમ જોબ પણ કરે છે. અત્યારે ડૉકટર્સનું કહેવું છે કે યુવકની સ્થિતિ સ્થિર છે. યુવકની બહેરને આરોપ મૂકયો છે કે ડૉકટર્સે તેના ભાઇના અલગ-અલગ રિપોર્ટના લીધે ગડબડી ઉભી કરી દીધી છે. બહેને આરોપ મૂકયો છે કે રાત્રે નવ વાગ્યે ડૉકટરે કહ્યું કે ટેસ્ટ નેગેટિવ આવ્યો છે પરંતુ રાત્રે 12 વાગ્યે કહ્યું કે ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular