Sunday, June 8, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના નવા કેસો 36,470, 488નાં મોત

કોરોનાના નવા કેસો 36,470, 488નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસની સ્થિતિમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે દેશમાં કોવિડ-19ના કુલ મામલા 79 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 36,470 નવા કેસ સામે આવ્યા છે. આ 18 જુલાઈ પછી સૌથી ઓછા નવા કેસ નોંધાયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 488 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 79,46,429 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,19,502 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 72,01,070 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 63,842 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,25,857એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 90 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.50 ટકા થયો છે.

નવા કેસોમાં 16 ટકાનો ઘટાડો

આ સપ્તાહે કોરોના વાઇરસના નવા કેસોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અગાઉના દિવસો કરતાં 19 ઓક્ટોબરથી 25 ઓક્ટોબરની વચ્ચે નવા કેસમાં ગત સપ્તાહની તુલનામાં 16 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે કોવિડ-19 ને કારણે થતાં મૃત્યુમાં 19 ટકાનો ઘટાડો થયો છે. આ અઠવાડિયે ભારતમાં 3.6 લાખ નવા કેસ નોંધાયા છે. આ આંકડો છેલ્લા ત્રણ મહિનામાં સૌથી નીચો છે. અગાઉ 20-26 જુલાઇની વચ્ચે 3.2 લાખ કેસ નોંધાયા હતા. આ સંખ્યા અગાઉના સપ્તાહ કરતાં 15.7 ટકા ઓછી છે, જે રોગચાળો શરૂ થયા પછીનો સૌથી ઝડપી ઘટાડો છે. ગયા અઠવાડિયે દેશમાં લગભગ 4.3 લાખ કેસ નોંધાયા હતા.

7થી 13 સપ્ટેમ્બરના એક સપ્તાહમાં અત્યાર સુધીમાં 6.45 લાખ 14 કેસો નોંધાયા થયા બાદ આ સતત છઠ્ઠું અઠવાડિયું છે, જેમાં સતત નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દરમિયાન, ભારતમાં રિકવરીનો દર પણ રવિવારે વધીને 90 ટકા થયો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular