Wednesday, May 28, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના નવા 44,684 કેસો, 520નાં મોત

કોરોનાના નવા 44,684 કેસો, 520નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 87 લાખને પાર પહોંચ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 44,879 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 547 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 87.30 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,29,188  લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 81,63,572 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,80,719એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.47 ટકા થયો છે.

બજારોમાં ભીડથી કોરોના કેસ વધવાની આશંકા

દિવાળીના તહેવારોમાં દેશના મોટા ભાગનાં શહેરોમાં ખરીદી માટો બજારોમાં લોકોની  ભીડ વધી છે, જેથી ચિંતાજનક દ્રશ્યો સામે આવી રહ્યાં છે. રાજ્યનાં મોટા શહેરોમાં દિવાળીની ખરીદી માટે લોકોની કોરોના સામે અક્ષમ્ય બેદરકારી દાખવી રહ્યા છે. જેથી નિષ્ણાતો પણ આ ભીડ જોઇને સંક્રમણ ઘણું વધશે એવી દહેશત વ્યક્ત કરી રહ્યા છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular