Wednesday, June 18, 2025
Google search engine
HomeNewsNationalબીજી જૂન પછી કોરોનાના સૌથી ઓછા કેસ

બીજી જૂન પછી કોરોનાના સૌથી ઓછા કેસ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે. દેશમાં કોરાના વાઇરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસોની સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.07 કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 8,635 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે બીજી જૂને કોરોના સંક્રમણના 8,171 નવા કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 94 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,07,66,245 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,54,486 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,04,84,406  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 13,423 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,63,353 પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.04 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.43 ટકા થયો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular