Sunday, July 20, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના કેસ 77 લાખને પાર

કોરોનાના કેસ 77 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં રેકોર્ડ વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 77 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 55,839 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 702 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 77,06,946 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,16,616 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 68,74,518 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 79,415 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 7,15,812એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 87.56 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.52 ટકા થયો છે.

ટ્રાયલમાં એક વોલેન્ટિયરનું મોત

કોરોના વાઇરસ સામે લડવા માટે ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાની જે રસીથી અત્યાર સુધી સૌથી વધુ આશા વ્યકત કરવામાં આવી રહી હતી, તેમાં બ્રાઝિલમાં તેના ત્રીજા તબક્કાના ટ્રાયલમાં એક વોલેન્ટિયરનું મોત થઈ ગયું છે, એમ બ્રાઝિલિયન હેલ્થ ઓથોરિટી અન્વિસાએ આ માહિતી આપી. જોકે આ વોલેન્ટિયરને રસી આપવામાં આવી ન હતી અને તેથી જ રસીનું ટ્રાયલ રોકાશે નહીં.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular