Sunday, May 18, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 97,570 નવા કેસ, 1201નાં મોત

કોરોનાના 97,570 નવા કેસ, 1201નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક સ્તરે વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 97,570 નવા કેસ સામે આવ્યા છે. આ અત્યાર સુધીમાં સૌથી વધુ મોટો આંકડો છે.  આ સાથે છેલ્લા 24 કલાકમાં 1201 લોકોનાં મોત થયાં છે. દેશમાં બીજી સપ્ટેમ્બરથી પ્રત્યેક દિવસે 1000થી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 46,59,984 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 77,472 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 36,24,196 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,58,316 પહોંચી છે. રિકવરી રેટ વધીને 78 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.68 ટકા થયો છે.

5.51 કરોડ લોકોના સેમ્પલ ટેસ્ટદેશમાં અત્યાર સુધી 5.51,89,226 લોકોનાં સેમ્પલનું ટેસ્ટિંગ થઈ ચૂક્યું છે, જેમાં 11 સપ્ટેમ્બરે 10.91,251 કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular