Saturday, May 31, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 8171 નવા કેસ, 204નાં મોત

કોરોનાના 8171 નવા કેસ, 204નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત ઝડપથી વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી થયેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાઇરસના દર્દીઓની કુલ સંખ્યા વધીને 1,98,706 થઈ ગઈ છે, જ્યારે આ વાઇરસથી અત્યાર સુધી 5598 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. જોકે આ બીમારીમાંથી અત્યાર સુધી 95,527 દર્દીઓ. કોરોનાને માત આપવામાં સફળ થયા છે. પાછલા 24 કલાકમાં 8171 લોકોના નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 204 લોકોનાં મોત થયાં છે. રિકવરી રેટ 48.07 ટકા થયો છે.

દિલ્હીમાં 20,000થી વધુ કેસ

દિલ્હીમાં કોરોનાના કેસોને મામલે ત્રીજા નંબરે છે. અત્યાર સુધી અહીં 20,834 કેસ સામે આવ્યા છે, જેમાંથી 523 લોકોનાં મોત થયાં છે, જ્યારે 8746 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે.

મહારાષ્ટ્રમાં 70,000ની વધુ કેસ

કોરોનાશી સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા 70,000ને પાર થઈ ગઈ છે. અત્યાર સુધી 2362 લોકોનાં મોત થયાં છે, જ્યારે 30,000થી વદુ લોકો ઠીક થઈ ચૂક્યા છે. હાલ 37,543 સક્રય કેસ છે. બીજા ક્રમાંકે તામિલનાડુ છે. રાજ્યમાં 23,000થી વધુ કેસ છે અને 184 લોકોનાં મોત થયાં છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular