Tuesday, June 24, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 7466 નવા કેસ અને 175નાં મોત

કોરોનાના 7466 નવા કેસ અને 175નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોવિડ-19ના 1.65 લાખથી વધુ કેસ નોંધાયા છે. કોરોના સંક્રમિતોની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત નવમા સ્થાને પહોંચ્યો છે. દેશમાં કોરોના વાઇરસના કેસ વધીને 1,65,799 થયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં આ વાઇરસને કારણે મૃતકોની સંખ્યા 4706એ પહોંચી છે. પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસના સૌથી વધુ 7466 કેસ નોંધાયા છે અને 175 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોરોના વાઇરસના 89,987 કેસ સક્રિય છે. અત્યાર સુધી આ બીમારીમાંથી 71,105 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. આ જ રીતે રિકવરી રેટ 42.75 ટકાએ પહોંચ્યો છે.  

તામિલનાડુમાં રેકોર્ડ 827 નવા કેસ

તામિલનાડુમાં એક જ દિવસમાં સૌથી વધુ 827 કોરોનાના નવા કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 19,372 થઈ છે. આ સાથે પડોશી રાજ્ય કર્ણાટકે મહારાષ્ટ્ર, તામિલનાડુ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાંથી આંતર રાજ્ય પ્રવાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular