Monday, June 9, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 6594 નવા કેસ, છનાં મોત

કોરોનાના 6594 નવા કેસ, છનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6594 નવા કેસ નોંધાયા છે,  છેલ્લા 24 કલાકમાં છ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 195.35થી કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 60,000ની નીચે છે. દેશમાં અત્યાર સુધીમાં 4,32,36,695 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

 મુંબઈમાં ચાર નવા ઓમિક્રોનના કેસો નોંધાયા છે. આ સાથે મુંબઈમાં કોરોના વાઇરસના 1118 નવા કેસો નોંધાયા હતા. જોકે રવિવારની તુલનાએ કેસોમાં 38 ટકાનો ઘટાડો થયો હતો. આ સાથે આંદામાન-નિકોબારમાં નવો કોરોના વાઇરસનો કેસ નોંધાયો છે.દેશમાં અત્યાર સુધી 5,24,777 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,26,61,370 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 4035 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 50,548એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.67 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.21 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 3,21,873 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 85.48 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2.05 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 2.32 ટકા છે.

દેશમાં 195.35 લાખ રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 1,95,35,70,370 લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 14,65,182 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular