Monday, July 14, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 36,595 નવા કેસો, 540નાં મોત

કોરોનાના 36,595 નવા કેસો, 540નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 95 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 36,595 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 540 લોકોનાં મોત થયાં છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 95,71,559 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,39,188 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 90,16,289 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 42,916 દર્દીઓ સ્વસ્થ થયા છે.  જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,16,082એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 94.19 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.45 ટકા થયો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular