Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 32,080 નવા કેસો, 402નાં મોત

કોરોનાના 32,080 નવા કેસો, 402નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 97 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 32,080 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 402 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 97,35,850 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,41,360 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 92,15,581 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 36,635 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થઈ ચૂક્યા છે.  જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,78,909એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 94.65 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.45 ટકા થયો છે.

ગરીબ લોકોની સંખ્યા એક અબજને પાર પહોંચે એવી શક્યતા

સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના એક નવા અભ્યાસમાં જણાયું છે કે કોવિડ-19 રોગચાળામાં ગંભીર પરિણામોને કારણે 2030 સુધી 20 કરોડ 70 લાખ લોકો ભયંકર ગરીબી તરફ જઈ શકે છે. જો આમ થયું તો દુનિયાભરમાં ગરીબ લોકોની સંખ્યા એક અબજને પાર પહોંચી જશે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular