Saturday, May 24, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 2,68,833 નવા કેસઃ પોઝિટિવિટી રેટ 16.66 ટકા

કોરોનાના 2,68,833 નવા કેસઃ પોઝિટિવિટી રેટ 16.66 ટકા

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,68,833 નવા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 402 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,68,50,962 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,85,752 લોકોનાં મોત થયાં છે. દૈનિક પોઝિટિવ રેટ 16.66 ટકા થયો છે. આ સાથે વીકલી પોઝિટિવિટી રેટ 12.84 ટકા છે.

દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 6041એ પહોંચી છે. ઓમિક્રોનના કેસો 26 રાજ્યોમાં નોંધાયા છે. દેશનાં પાંચ રાજ્યોમાં કોરોનાના 53 ટકા કેસ નોંધાયા છે.દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,49,47,390 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 1,22,684 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 14,17,820એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 94.83 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.32 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 16,13,740 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 70.07 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 156.02 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,56,02,51,117 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 58,02,976 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular