Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 11,502 નવા કેસ, 325નાં મોત

કોરોનાના 11,502 નવા કેસ, 325નાં મોત

નવી દિલ્હીઃ વિશ્વના તમામ દેશોની સાથે ભારતમાં પણ કોરોના વાઇરસનો પ્રકોપ જારી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં આ વાઇરસના સંક્રમિતોની સંખ્યા 3,32,424 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 11,502 નવા કેસો સામે આવ્યા છે અને 325 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી 9520 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. જોકે 1,69,798 દર્દીઓ આ બીમારીને હરાવવામાં સફળ થયા છે. રિકવરી રેટ વધીને 51.07 ટકાએ પહોંચ્યો છે.

મહારાષ્ટ્રમાં કોરોના કેસોમાં ઉછાળો

મહારાષ્ટ્રમાં ગઈ કાલે 3390 નવા કેસ નોંધાયા છે અને 120 લોકોનાં મોત થયાં છે. જેમાં 69 મોત મુંબઈમાં થયાં છે. ઓવરઓલ કોરોના કેસો વધીને 1,07,958 થયા છે. અત્યાર સુધી રાજ્યમાં 3950 લોકોનાં મોત થયાં છે.

વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 79 લાખને પાર

વિશ્વમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 79 લાખને પાર થઈ ગઈ છે. એ આંકડો દરરોજ વધી રહ્યો છે અને અત્યાર સુધીમાં 4,35,177 લોકોનાં મોત થયાં છે. અત્યાર સુદી આ બીમારીમાંથી  41,04,373 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે.

ICMR દ્વારા 56,58,514 લોકોની કોરોનાની તપાસ

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં ગઈ કાલ સુધી 56,58,614 લોકોની કોરોના તપાસ થઈ ચૂકી છે. પાછલા 24 કલાકમાં 1,51,432 લોકોનો કોવિડ-19નો ટેસ્ટ થયો હતો, જેમાંથી 11,929 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પ્રકારે પોઝિટિવ કેસોનો દર 7.87 ટકાએ પહોંચ્યો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular