Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 38,628 વધુ નવા-કેસઃ રસીકરણ 50 કરોડને પાર

કોરોનાના 38,628 વધુ નવા-કેસઃ રસીકરણ 50 કરોડને પાર

નવી દિલ્હીઃ કોરોના રોગચાળાની બીજી લહેરમાં કોરોનાના નવા કેસોમાં ઉતારચઢાવનું વલણ જારી છે. દેશમાં કોરોનાના 38,000થી વધુ નવા કેસો નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 38,628 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 617 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,18,95,385 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,27,371 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,10,55,861 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 40,017 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,12,153એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.36 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,50,081 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 47.83 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 50.10 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 50,10,09,609 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 49,55,138 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular