Tuesday, July 15, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના સંક્રમિતોની સંખ્યા 10 લાખને પાર: વેક્સિનના રશિયાના દાવા પર વિવાદ

કોરોનાના સંક્રમિતોની સંખ્યા 10 લાખને પાર: વેક્સિનના રશિયાના દાવા પર વિવાદ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10 લાખને પાર થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 34,956 નવા કેસ સામે આવ્યા છે અને 687 લોકોનાં મોત થયાં છે. આ એક દિવસમાં દેશમાં કોરોના સંક્રમિતોનો સૌથી વધુ આંકડો છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 10,03,832 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 25,602 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 6,35,756 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,42,473એ પહોંચી છે. રિકવરી રેટ 63.34 ટકાથી વધુ થયો છે.

કોવિડ-19ની વેક્સિનને લઈને રશિયાના દાવા પર વિવાદ

કોવિડ-19ના દાવાની વેક્સિનને લઈને રશિયાના દાવા પર વિવાદ વધી રહ્યો છે. અમેરિકા, બ્રિટન અને કેનેડાએ વેક્સિન ચોરી કરવાનો આરોપ મૂક્યો છે.

અમેરિકામાં 24 કલાકમાં રેકોર્ડ 68,428 નવા કોરોનાના કેસ

અમેરિકામાં પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમિતોના સૌથી વધી 68,428 નવા કેસ નોંધાયા છે અને 974 લોકોનાં મોત થયાં છે. આ સાથે અત્યાર સુધી અમેરિકામાં આ રોગચાળાને કારણે 1,38,201 લોકોનાં મોત થયાં છે અને કુલ આંકડો 35,60,364એ પહોંચ્યો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular