Friday, June 20, 2025
Google search engine
HomeNewsNationalકોરોના સંક્રમિતોની સંખ્યા 43 લાખને પારઃ ઓક્સફર્ડે કોવિડ વેક્સિનનું ટ્રાયલ અટકાવ્યું

કોરોના સંક્રમિતોની સંખ્યા 43 લાખને પારઃ ઓક્સફર્ડે કોવિડ વેક્સિનનું ટ્રાયલ અટકાવ્યું

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 89,706 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1115 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 43,70,129 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 73,890 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 33,98,844 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 8,97,394 પહોંચી છે. રિકવરી રેટ વધીને 78 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.77 ટકા થયો છે.

એક વ્યક્તિ બીમાર પડતાં એસ્ટ્રાજેનકાએ પરીક્ષણ અટકાવ્યું

એસ્ટ્રાજેનકા  અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વેક્સિનના ટ્રાયલને માનવ પરીક્ષણમાં એક વ્યક્તિના બીમાર પડ્યા બાદ અટકાવી દેવામાં આવ્યું છે. એસ્ટ્રાજેનકાએ કહ્યું છે કે આ એક રૂટિન બ્રેક છે કારણ કે પરીક્ષણમાં સામેલ વ્યક્તિની બીમારી વિશે હજુ સુધી કંઈ સમજમાં નથી આવી રહ્યું.

આ વેક્સિનનું નામ AZD1222 રાખવામાં આવ્યું હતું. WHO મુજબ દુનિયાના અન્ય વેક્સિન ટ્રાયલની તુલનામાં આ વેક્સિનની ટ્રાયલ સૌથી આગળ ચાલી રહ્યું હતું. અહીં ત્રીજા ચરણના ટ્રાયલ થઈ રહ્યું છે અને ખૂબ આશા છે કે બજારમાં સૌથી પહેલાં આવનારી વેક્સિનમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી જ હશે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular