Monday, July 14, 2025
Google search engine
HomeNewsNationalકોરોના સંક્રમિતોની સંખ્યા 38 લાખને પારઃ 83,883 નવા કેસ

કોરોના સંક્રમિતોની સંખ્યા 38 લાખને પારઃ 83,883 નવા કેસ

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 83,883 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1043 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 38,53,407 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 67,376 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 29,70,492 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 8,15,538 પહોંચી છે. રિકવરી રેટ વધીને 77 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.78 ટકા થયો છે. પાછલા 24 કલાકમાં 11,7000 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

અમેરિકા અને બ્રાઝિલમાં કોરોના દર્દીઓનાં મોત સૌથી વધુ

અમેરિકા અને બ્રાઝિલમાં કોરોના કેસની સંખ્યા ભારતની સરખામણીમાં ઓછી વધી રહી છે. પરંતુ વિશ્વમાં કોરોના દર્દીના સૌથી વધારે મોત આ જ દેશોમાં થઈ રહ્યાં છે. અમેરિકા અને બ્રાઝિલમાં એક કરોડથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને 3.13 લાખ લોકોના મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકા અને બ્રાઝિલમાં ક્રમશઃ 40,899 અને 48,632 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે ક્રમશઃ 1,067 અને 1,218 મોત થયા છે.

  દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular