Monday, May 19, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના સંક્રમિતોની સંખ્યા 27 લાખને પારઃ કુલ મોત 51,000ને પાર

કોરોનાના સંક્રમિતોની સંખ્યા 27 લાખને પારઃ કુલ મોત 51,000ને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી કુલ કેસોની સંખ્યા 27 લાખને પાર થઈ છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 55,079 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 876 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 27,02,742 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 51,797 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 19,77,779 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,73,166 પહોંચી છે. દેશમાં સક્રિય કેસની 24.91 ટકા છે અને મૃત્યુદર 1.93 ટકા છે. રિકવરી રેટ 70.77 ટકાએ પહોંચ્યો છે.

3.09 કરોડ લોકોના ટેસ્ટિંગ કરાયા

દેશમાં સંક્રમિતોની સંખ્યા વધવાનું કારણ એ પણ છે કે ટેસ્ટિંગની સંખ્યામાં વધારો થયો છે. ICMR ના આંકડા અનુસાર 17 ઓગસ્ટે દેશમાં સૌશી વધુ 8,99,864 લોકોની કોરોનાની તપાસ કરવામાં આવી હતી. દેશમાં 17 ઓગસ્ટ સુધી કુલ 3,09,41264 લોકોના સેમ્પલ ટેસ્ટિંગ થઈ ચૂક્યા છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular