Saturday, June 21, 2025
Google search engine
HomeNewsNationalકોરોના સંક્રમિતોની સંખ્યા 24 લાખને પારઃ 20 દેશોમાં બે લાખથી વધુ કેસ

કોરોના સંક્રમિતોની સંખ્યા 24 લાખને પારઃ 20 દેશોમાં બે લાખથી વધુ કેસ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસની સ્થિતિ બદથી બદતર થતી જઈ રહી છે, કેમ કે સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે., જેથી કુલ કેસોની સંખ્યા 24 લાખને પાર થઈ છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 64,553 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1007 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 24,61,190 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 48,040 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 17,51,555 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,61,595એ પહોંચી છે. રિકવરી રેટ 70.77 ટકાએ પહોંચ્યો છે.

20 દેશોમાં બે લાખથી વધુ કેસ

વિશ્વમાં 20 દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા બે લાખને પાર પહોંચી છે. આમાં ઇરાન, પાકિસ્તાન, તુર્કી, સાઉદી અરેબિયા, ઇટાલી, જર્મની અને બંગલાદેશ પણ સામેલ છે. વિશ્વમાં ભારત સૌથી સંક્રમિતોના મામલે ત્રીજા ક્રમે છે. જ્યારે સૌથી વધુના મામલે પાંચમા નંબરે છે.

વિશ્વમાં એક દિવસમાં 2.72 લાખ નવા કેસ

વિશ્વભરમાં છેલ્લા 24 કલાકમાં 2.72 લાખ નવા કેસ નોંધાયા છે અને 6361 લોકોનાં મોત થયાં છે. અત્યાર સુધીમાં 2.10 કરોડ લોકો કોરોનાથી સંકમિત થઈ ચૂક્યા છે અને 7.53 લાખથી વધુ લોકોનાં મોત થયાં છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular