Thursday, May 29, 2025
Google search engine
HomeNewsNationalકોરોના સંક્રમિતોની સંખ્યા 36 લાખને પારઃ 78,512 નવા કેસ

કોરોના સંક્રમિતોની સંખ્યા 36 લાખને પારઃ 78,512 નવા કેસ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 78,512 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 971 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 36,21,245 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 64,469 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 27,74,801 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 7,81,975 પહોંચી છે. રિકવરી રેટ વધીને 76.47 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.83 ટકા થયો છે. 

ગૃહપ્રધાન અમિત શાહને એમ્સમાંથી રજા અપાઈ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને દિલ્હીની એમ્સમાંથી રજા આપવામાં આવી છે. અમિત શાહને 18 ઓગસ્ટે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેટલાક દિવસો પહેલાં તેમને શ્વાસ લેવાની મુશ્કેલીને કારણે દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમિત શાહને કોવિડ-19 રોગચાળા પછી સારસંભાળ માટે 18 ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular