Wednesday, June 18, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના કેસો 19 લાખને પારઃ 10 રાજ્યોમાંથી 82 ટકા કેસ

કોરોનાના કેસો 19 લાખને પારઃ 10 રાજ્યોમાંથી 82 ટકા કેસ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 52,509 નવા કેસ સામે આવ્યા છે અને 857 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોવિડ-19ના સંક્રમણના દૈનિક ધોરણે 50,000થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 19,08,254 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 39,795 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 12,82,215 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,86,244એ પહોંચી છે. રિકવરી રેટ 67.19 ટકાએ પહોંચ્યો છે. પોઝિટિવિટી રેટ 8.47 ટકાએ પહોંચ્યો છે.

82 ટકા કેસો 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી

દેશમાં કોરોના વાઇરસ સતત નવા વિસ્તારોમાં પ્રસરી રહ્યો છે, પણ કુલ કેસોમાંથી 82 ટકા કેસો 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આવી રહ્યા છે. આમાં પણ 50 જિલ્લાઓમાં 66 ટકા કેસો નોંધાયા છે. જોકે દેશમાં કોરોનાથી મૃત્યુદર ઘટીને 2.10 થયો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular