Thursday, August 28, 2025
Google search engine
HomeNewsNationalદેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં ત્રણ-લાખ લોકોનાં મોત

દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં ત્રણ-લાખ લોકોનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાને લીધે અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં દેશમાં કોરોના વાઇરસના કેસ મળવાનું શરૂ થયું હતું. કોરોનાની બીજી લહેરના પિકને આપણે પાર કરી ચૂક્યા છે અને હવે કેસોમાં ઘટાડો થઈ રહ્યા છે. જોકે સંક્રમણને કારણે દૈનિક મોતનો આંકડા હજી પણ ચાર હજારથી વધુ છે, જે ચિંતા વધારી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 2,22,315 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 4454 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,67,52,447 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 3,03,720 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 2,37,28,011 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3,02,544 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 27,20,716એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 88.69 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.14 ટકા થયો છે.

દેશમાં 19.60 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 19,60,51,962 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 9,42,722 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular