Tuesday, August 26, 2025
Google search engine
HomeNewsNational છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં 47%નો ઉછાળો

 છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં 47%નો ઉછાળો

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસોમાં 47 ટકાનો ઉછાળો થયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 37,593 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 648 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,25,12,366 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,35,758 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,17,54,281 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 34,169 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,22,327એ પહોંચી છે, રિકવરી રેટ વધીને 97.67 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,92,755 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 51.10 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 59.55 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 59,55,04,593 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 61,90,930 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular