Saturday, June 28, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના સક્રિય કેસો 151 દિવસોમાં સૌથી ઓછા

કોરોનાના સક્રિય કેસો 151 દિવસોમાં સૌથી ઓછા

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા કેસો હજી પણ 30,000થી વધુ આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 34,457 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 375 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,23,93,286 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,33,964 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,15,97,982 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 36,347 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,61,340એ પહોંચી છે, જે છેલ્લા 151 દિવસમાં સૌથી ઓછા છે. દેશમાં સક્રિય દર હાલ 1.12 ટકા છે, જે માર્ચ, 2020થી પણ નીચે છે.  રિકવરી રેટ વધીને 97.54 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,21,205 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 50.45 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 57.61 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 57,61,17,350 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 36,36,043 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular