Sunday, June 15, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 78,524 નવા કેસ, 971નાં મોત

કોરોનાના 78,524 નવા કેસ, 971નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 68 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 78,524 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 971 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 68,35,656 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,05,526 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 58,27,704 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 83,011 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,02,425 પહોંચી છે. રિકવરી રેટ વધીને 85.01 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.54 ટકા થયો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular