Friday, June 20, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 45,903 નવા કેસ, 490નાં મોત

કોરોનાના 45,903 નવા કેસ, 490નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 85 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 45,903 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 490 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 85,53,657 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,26,611  લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 79,17,373 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 48,405 દર્દીઓ ઠીક થયા છે.  જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,09,673એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 92.32 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.48 ટકા થયો છે.

દિલ્હીમાં કોરોનાનો કેર

દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં 7745 નવા કેસ સામે આવ્યા છે આથી કુલ કેસની સંખ્યા વધીને 4,38,529 સુધી પહોંચી ગઈ છે. આ દરમ્યાન 6069 દર્દી સાજા પણ થયા. અત્યાર સુધી કુલ 3,89,683 દર્દી સાજા થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 77 દર્દીનાં મોત થયા છે આથી અત્યાર સુધીમાં કુલ 6989 લોકોના મોત થઈ ગયાં છે.

છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 50,754 ટેસ્ટ કરાવ્યા, જેથી કરીને અત્યાર સુધીમાં કુલ 50,99,774 ટેસ્ટ કરાવી ચૂકયા છે

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular