Saturday, August 23, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 44,489 નવા કેસો, 524નાં મોત

કોરોનાના 44,489 નવા કેસો, 524નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 92 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 44,489 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 524 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 92,66,705 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,35,223  લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 86,79,138 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24  કલાકમાં 41,024 દર્દીઓ આ ખતરનાક બીમારીથી સ્વસ્થ થયા છે. પાછલા 24 કલાકમાં 36,367 દર્દીઓ સ્વસ્થ થયા છે.  જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,52,344એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.75 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.46 ટકા થયો છે.

૫૭ સગર્ભા મહિલાઓ કોરોના પોઝિટિવ

અમદાવાદના પ્રખ્યાત એવી શારદાબહેન હોસ્પિટલમાં  એપ્રિલમાંથી ઓક્ટોબર માસ સુધીમાં કુલ ૫૭ સગર્ભા મહિલાઓ કોરોના પોઝિટિવ મળી આવી છે. આ તમામ મહિલાઓને વધુ સારવાર માટે વી.એસ., સિવિલ તેમજ એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular