Monday, September 8, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 38,310 નવા કેસો, 490નાં મોત

કોરોનાના 38,310 નવા કેસો, 490નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસની સ્થિતિમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે દેશમાં કોવિડ-19ના કુલ મામલા 82 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 38,310 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 490 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 82,67,623 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,23,097 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 76,03,121 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 58,323 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,41,405એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 91.96 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.48 ટકા થયો છે.

ફટાકડાનો ધુમાડો કોરોના પડિતો માટે ઘાતક

દિવાળી પર્વની ઉજવણીમાં પણ લોકોને વિશેષ સલામતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. લોકો દિવાળીમાં ફટાકડા ફોડી રંગેચંગે ઉજવણી કરતા હોય છે ત્યારે શહેરના નિષ્ણાત તબીબોએ ફટાકડાનો ધુમાડો કોરોના પડિતો માટે ઘાતક પુરવાર થઇ શકે છે એવી દહેશત વ્યક્ત કરી છે.

તબીબોના જણાવ્યા પ્રમાણે કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ તો ઠીક કોરોનાથી સાજા થયેલા દર્દીઓ માટે પણ ફટાકડાનો ધુમાડો જોખમી નીવડી શકે છે. કોરોનાના દર્દીઓને શ્વાસ લેવાની સૌથી વધુ તકલીફ હોય છે. આવા સંજોગોમાં ફટાકડાનો ઝેરી ગેસ શ્વાસ વાટે શરીરમાં જતા દર્દીના ફેફસાં પર અસર થાય છે, જે દર્દીની તકલીફ વધારે છે અને બાદમાં આ તકલીફ જીવલેણ પણ પુરવાર થઇ શકે છે. જેથી કોરોનાની ગંભીર આ સ્થિતિમાં દર્દીની જિંદગી જોખમમાં નહિ મુકાય એ માટે તબીબોએ હોસ્પિટલો, કોવિડ કેર સેન્ટરો તથા કોરોનાના અસરગ્રસ્ત વિસ્તારોમાં ફટાકડા નહિ ફોડવા તબીબો અપીલ કરી રહ્યા છે. કોરોનાનો દર્દી જ્યાં હોમ ક્વોરન્ટાઇન થયો હોય તે વિસ્તારમાં પણ ફટાકડા નહિ ફોડવા જોઇએ.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular