Thursday, July 24, 2025
Google search engine
HomeNewsNationalકોરાનાના નવા 37,148 કેસઃ અત્યાર સુધીમાં 28,000થી વધુનાં મોત  

કોરાનાના નવા 37,148 કેસઃ અત્યાર સુધીમાં 28,000થી વધુનાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 37,148 નવા કેસ સામે આવ્યા છે અને 587 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 11 લાખને પાર થઈ ગઈ છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 11,55,191 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 28,084 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 7,24,578 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,02,529એ પહોંચી છે. રિકવરી રેટ 63 ટકાથી વધુ થયો છે.

મહારાષ્ટ્રમાં સ્થિતિ ચિંતાજનક

રાજ્યવાર આંકડાની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં હજી ચિંતાજનક સ્થિતિ છે. પાછલા 24 કલાકમાં અહીં 8240 નવા કેસ નોંધાયા છે. તામિકનાડુમાં 4985, આંધ્ર પ્રદેશમાં 4074, કર્ણટકમાં 3648 અને પશ્ચિમ બંગાળમાં 2282 કેસ નોંધાયા છે.

 મૃતકોને મામલે પણ મહારાષ્ટ્ર સૌથી આગળ

મૃતકોને મામલે પણ મહારાષ્ટ્ર સૌથી આગળ છે. પાછલા 24 કલાકમાં અહીં 176 લોકોનાં મોત થયાં છે. કર્ણાટકમાં 72, તામિકલનાડુમાં 70, આંધ્ર પ્રદેશમાં 54 અને યુપીમાં 46 લોકોનાં મોત થયાં છે.

 પ્રતિ દિન બ્રાઝિલથી વધુ કેસ

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતે હવે કોરોના સંક્રમિતોને મામલે બ્રાઝિલને પાછળ છોડ્યું છે. ભારતમાં 37,148 નવા કેસ આવ્યા છે, જ્યારે બ્રાઝિલમાં 21,749 કેસ નોંધાયા છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular