Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsNationalદિલ્હી:પોલીસને ઠપકો આપનાર હાઈકોર્ટના જજની રાતોરાત ટ્રાન્સફર

દિલ્હી:પોલીસને ઠપકો આપનાર હાઈકોર્ટના જજની રાતોરાત ટ્રાન્સફર

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા(CAA)ની વિરુદ્ધના દેખાવોમાં હિંસા અને નેતાઓને ભડકાઉ નિવેદનોને લઈને દિલ્હી પોલીસને ઠપકો આપનાર દિલ્હી હાઈકોર્ટના જજ એસ મુરલીધરની ટ્રાન્સફર પંજાબ અને હરિયાણા હોઈકોર્ટમાં કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે બુધવારે રાતે આ અંગેની નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પહેલા જસ્ટિસ મુરલીધરને 3 કલાક સુધી ચાલેલી સુનાવણી દરમ્યાન પોલીસ કમિશ્નરને ભડકાઉ ભાષણોના તમામ વીડિયો બતાવવા અને એફઆઈઆર નોંધવાનો આદેશ કર્યો હતો.

જસ્ટિસ મુરલીધરને ઉતર-પૂર્વ દિલ્હીમાં હિંસા અને ભડકાઉ ભાષણ આપનાર નેતાઓ પર કાર્યવાહી માટે દાખલ અરજી પર પોલીસને ઠપકો આપ્યો હતો. પોલીસને પૂછ્યું- શું હિંસા ભડકાવનારાઓ પર તાત્કાલિક એફઆઈઆર નોંધવાની જરૂર નથી ? હિંસા રોકાવા માટે તાત્કાલિક પગલા ભરવાની જરૂર છે. અમે દિલ્હીમાં 1984 જેવી સ્થિતિ બનવા દઈશું નહીં.

આ પહેલા જસ્ટિસ મુરલીધરને હિંસામાં ઘાયલ લોકોની સુરક્ષા અને સારી સારવાર માટે મંગળવારે અડધી રાત પોતાના ઘરે સુનાવણી કરી હતી. આ દરમિયાન પોલીસે આદેશ આપ્યો હતો કે તે મુસ્તફાબાદની એક હોસ્પિટલથી એમ્બ્યુલન્સને સુરક્ષિત રસ્તો આપે અને દર્દીઓને સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરાવે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular