Sunday, May 18, 2025
Google search engine
HomeNewsNationalબિહાર: રાજ્યસભાની બેઠક મામલે કોંગ્રેસ-રાજદ વચ્ચે તકરાર?

બિહાર: રાજ્યસભાની બેઠક મામલે કોંગ્રેસ-રાજદ વચ્ચે તકરાર?

પટના: બિહારમાં રાજ્યસભાની પાંચ બેઠકો ખાલી જવા જઈ રહી છે. જેને લઈને કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ(રાજદ) વચ્ચે તકરાર જોવા મળી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે, રાજદ એ તેમને બિહારની એક રાજ્યસભા બેઠક આપવાનું વચન આપ્યું હતું. તો બીજી તરફ રાજદ એ આવું કોઈપણ વચન આપ્યું હોવાનો ઈનકાર કરી દીધો છે.

બિહાર કોંગ્રેસ પ્રભાવી શક્તિસિંહ ગોહિલે વિધાનસભાના નેતા તેજસ્વી યાદવને પત્ર લખીને રાજ્યસભાની બેઠક આપવાનું વચન યાદ અપાવ્યું છે. ગોહિલનો આ પત્ર રવિવારે મીડિયામાં જાહેર થયો. પાર્ટીનું કહેવાનું છે કે અમને આશા છે કે, રાજદ તેમનું વચન નિભાવશે અને તેમના કોટાની એક બેઠક અમને આપશે.

પત્રમાં ગોહિલે લખ્યું કે, યાદવ લોકસભા ચૂંટણી દરમ્યાન મહાગઠબંધનની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં રાજદ એ તેમની એક બેઠક આપવાની વાત કહી હતી. સામા પક્ષે રાજદના ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારીએ અમારી પાર્ટીએ આવું કોઈપણ વચન આપ્યું નથી.

તિવારીનું કહેવું છે કે, રાજદ એ રાજ્ય અધ્યક્ષ જગદાનંદ સિંહને પણ આ મામલે સ્પષ્ટતા કરી દીધી છે. જોકે, રાજદ અધ્યક્ષ લાલૂજીને આ મામલે નિર્ણય લેવા અધિકૃત કરવામાં આવ્યા છે. બિહારની પાંચ રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે. વિધાનસભાની વર્તમાન સ્થિતિ અનુસાર જદયુ રાજદ બે બેઠકો અને ભાજપની એક બેઠક સરળતાથી જીતી શકે છે.

પોતાના રાજ્યસભા ઉમેદવારોને લઈને ચાલી રહેલી અટકળો પૂર્ણ વિરામ લગાવતા ગોહિલે કહ્યું કે, જો કોંગ્રેસને વચન અનુસાર એક રાજ્યસભા બેઠક મળે તો એ બેઠક પર તેમનો ઉમેદવાર બિહારના જ કોઈ નેતા હશે. મારા જેવો કોઈ નેતા જે બિહારનો મતદાતા નથી તે કોંગ્રેસનો ઉમેદવાર ન બની શકે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular