Monday, June 9, 2025
Google search engine
HomeNewsNationalકોંગ્રેસને હિન્દુઓના ટેકાની નથી જરૂરઃ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ

કોંગ્રેસને હિન્દુઓના ટેકાની નથી જરૂરઃ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ

નવી દિલ્હીઃ કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં નામ ના હોવા પર પાર્ટીના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું હતું કે નારાજગીનું કોઈ કારણ નથી. કોંગ્રેસને હિન્દુઓના ટેકાની જરૂર નથી અથવા હિન્દુ ધર્મ ગુરુને સ્ટાર પ્રચારક બનાવવાનો હેતુ છે, એમાં પક્ષને કોઈ ખામી નજર આવતી હોય.

તેમણે કહ્યું હતું કે મેં અનુભવ્યું છે કે કોંગ્રેસમાં કેટલાક એવા નેતા છે, જે ભગવાન રામથી નફરત કરે છે. આ નેતા હિન્દુ શબ્દથી પણ નફરત કરે છે. તેઓ હિન્દુ ધાર્મિક ગુરુઓનું પણ અપમાન કરવા ઇચ્છે છે.  તેમને પસંદ નથી કે પાર્ટીમાં એક હિન્દુ ધર્મગુરુ હોવો જોઈએ.

તેમણે કહ્યું હતું કે ગાંધી પરિવાર વિના કોંગ્રેસની કોઈ ઓળખ નથી. વિપક્ષના I.N.D.I.A. ગઠબંધનમાં પ્રિયંકા ગાંધીથી વધુ લોકપ્રિય કોઈ બીજા નેતા નથી. જો કોંગ્રેસ વડા પ્રધાન મોદીને ટક્કર આપવા ઇચ્છતી હોય તો પક્ષે પ્રિયંકા ગાંધીને વડા પ્રધાનપદના ઉમેદવાર બનાવવા જોઈએ.

તેમણે કહ્યું હતું કે જે રામને નફરત કરે છે તે હિન્દુ હોઈ શકે નહીં. રામ મંદિરને રોકવા માટે જે પ્રયાસો કરવામાં આવ્યા છે તે આખી દુનિયા જાણે છે. તેમણે કહ્યું હતું કે મંદિરમાં જઈને કોઈ હિન્દુ નથી બની જતો કે મસ્જિદમાં જઈને કોઈ મુસ્લિમ બની જતો નથી. જો ઇસા મસીહમાં વિશ્વાસ નથી કરતો તે ક્રિશ્ચિયન હોઇ શકે નહીં.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular