Thursday, July 31, 2025
Google search engine
HomeNewsNationalCM માન અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે તૂતૂમૈંમૈં

CM માન અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે તૂતૂમૈંમૈં

નવી દિલ્હીઃ I.N.D.I.A. એલાયન્સના મુખ્ય પક્ષો આપ અને કોંગ્રેસની વચ્ચે શાબ્દિક જંગ તેજ થઈ ગયો છે. પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માનનું કહેવું છે કે કોંગ્રેસ પંજાબ અને દિલ્હીમાં પોતાની જમાન ગુમાવી રહી છે. એની સામે વરિષ્ઠ કોંગ્રેસી નેતા પવન ખેડાએ કહ્યું હતું કે આપ અને મોદી સરકાર એક જેવી છે, કેમ કે એ બંને કોંગ્રેસમુક્ત ભારતનું સપનું જોઈ રહ્યા છે.

આટલું જ નહીં કોંગ્રેસે માનના એક થી કોંગ્રેસવાળી ટિપ્પણના જવાબમાં પલટવાર કરતા કહ્યું હતું કે પંજાબ CM તો એક થા જોકર ગણાવ્યા હતા. કોંગ્રેસના પ્રવક્તા અશપ્રીતે કહયું હતું કે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં તો આપને નોટાથી પણ ઓછા મત મળ્યા છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સંદીપ દીક્ષિતે કહ્યું હતું કે આવનારા સમયમાં માતાઓ કહેશે કે એક પાર્ટી હતી, જે હવે તિહાડ જેલમાં મળી શકે છે. બતાવો કઈ પાર્ટીમાં 40 ટકા નેતૃત્વ જેલમાં છે અને બાકીના લોકો જવાની તૈયારીમાં છે? પહેલાં કહેતા હતા કે આપ તો ભાજપની બી ટીમ છે, પણ હવે કદાચ ભાજપને તેમની જરૂર નહીં હોય. એટલે I.N.D.I.A. ગઠબંધનમાં સામેલ થયા છે.

પંજાબમાં જ નહીં, પણ બંગાળમાં પણ I.N.D.I.A. ગઠબંધનની વચ્ચે મતભેદ છે. TMC નેતા કૃણાલ ઘોષે બે દિવસ પહેલાં જ બંગાળ કોંગ્રેસને ભાજપના દલાલ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે બંગાળમાં કોંગ્રેસ સતત TMCને હરાવવા માટે લાગેલી છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular