Saturday, May 24, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાઃ માહિતી છુપાવવા બદલ આ દંપતિ સામે કાર્યવાહી

કોરોનાઃ માહિતી છુપાવવા બદલ આ દંપતિ સામે કાર્યવાહી

ઓરંગાબાદઃ થાઈલેન્ડથી આવનારા એક દંપતિ વિરુદ્ધ પોલીસ દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે. આ દંપતિએ થાઈલેન્ડથી આવ્યા હોવાની વાત અધિકારીઓથી છુપાવી હતી અને બાદમાં જ્યારે આ મામલે ખ્યાલ આવ્યો ત્યારબાદ તેમના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે હવે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 63 પર પહોંચી ગઈ છે.

(પ્રતીકાત્મક તસવીર)

વિદેશોથી આવનારા લોકોને કોરોના વાયરસના સંકટને કારણે જરુરી રુપથી એક અલગ રુમમાં પોતાને બંધ રાખવા માટે કહેવામાં આવ્યું છે પછી ભલે તેઓને કોરોનાનો ચેપ લાગ્યો હોય કે ન લાગ્યો હોય. જિલ્લા વહીવટી તંત્રની એક સર્વેક્ષણ ટીમે આ દંપતિ વિશે માહિતી મેળવી હતી, જેણે થાઈલેન્ડથી આવ્યા હોવાની વાત છુપાવી હતી. તેમણે કહ્યું કે, અમલનેરના ગજાનન નગર વિસ્તારમાં રહેનારા દંપતિ થાઈલેન્ડથી આવ્યું હતું. જ્યારે ટીમે તેમને તેમની યાત્રા વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે, અમે પુણેમાં અમારા દિકરા પાસે ગયા હતા.

જો કે, તપાસકર્તાઓને બાદમાં માહિતી મળી કે તેઓ થાઈલેન્ડ ગયા હતા. તેમણે જણાવ્યું કે, દંપતિ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની પ્રાસંગિક કલમો અને મહામારી રોગ નિયંત્રણ અધિનિયમ, 1897 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, બંન્નેને અલગ અલગ જગ્યાએ રાખવામાં આવ્યા છે અને તપાસ માટે તેમના સેમ્પલ્સ લેવામાં આવ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular