Monday, June 30, 2025
Google search engine
HomeNewsNationalઉત્તરાખંડના અલ્મોડામાં પ્રવાસીઓ ભરેલી બસનો અકસ્માતઃ 20નાં મોત

ઉત્તરાખંડના અલ્મોડામાં પ્રવાસીઓ ભરેલી બસનો અકસ્માતઃ 20નાં મોત

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના અલ્મોડામાં પ્રવાસીઓ ભરેલી બસનો અકસ્માત થયો છે. માર્ચુલા વિસ્તારમાં પ્રવાસીઓ ભરેલી એક બસ ખીણમાં પડી છે. આ બસમાં 40થી વધુ પ્રવાસીઓ હતા,  જેમાં 20 લોકોનાં મોત થયાં છે. જોકે મૃત્યુઆંક વધવાની આશંકા છે.

SDRFની ત્રણ ટીમ રાહત કાર્યમાં લાગેલી છે. આ બસ બસ નૈની ડાંડાથી રામનગર જઈ રહી હતી અને સવારે જ ખીણમાં પડી ગઈ હતી. આ બસ પડી ગયા બાદ કેટલાક મુસાફરો ઘાયલ હાલતમાં બસમાંથી બહાર આવ્યા હતા. આ પછી તેમણે ત્યાં હાજર લોકોને જાણ કરી, ત્યાર બાદ રાહત ટીમ તાત્કાલિક પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અલ્મોડાના એસએસપી પણ સ્થળ પર હાજર છે. સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં મોકલવામાં આવી રહ્યા છે.

આ બસમાં 40 જેટલા મુસાફરો સવાર હતા. દુર્ઘટના સમયે અમુક મુસાફરો જીવ બચાવવા બારીમાંથી બહાર કૂદી ગયા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. CM પુષ્કર સિંહ ધામીએ અલ્મોડા બસ અકસ્માત અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, અલ્મોડાના DM સાથે ફોન સાથે પર વાચ કરી ઘટનાની માહિતી મેળવી હતી તેમ જ બચાવ અને રાહત કામગીરી ઝડપથી કરવા નિર્દેશ કર્યો હતો.

આ બસ દુર્ઘટનાનું કારણ હજી જાણી શકાયું નથી. પ્રારંભિક ધોરણે બસ ડ્રાઈવરે પોતાનું નિયંત્રણ ગુમાવતા આ દુર્ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. બસ 100 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતાં મોતનો આંકડો વધવાની ભીતિ છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular