Monday, June 30, 2025
Google search engine
HomeNewsNationalધનતેરસે સિકરમાં બસ અકસ્માતઃ 11નાં મોત, 30થી વધુ ઇજાગ્રસ્ત

ધનતેરસે સિકરમાં બસ અકસ્માતઃ 11નાં મોત, 30થી વધુ ઇજાગ્રસ્ત

જયપુરઃ સિકર જિલ્લાના લક્ષ્મણગઢ વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માત થયો છે. રાજ્યના સિકર જિલ્લાના લક્ષ્મણગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી બસ પૂલ સાથે ટકરાઈ હતી, જેમાં 11 લોકોનાં મોત થયાં છે અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે.

હાલ પાંચ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ અકસ્માતમાં પાંચ મહિલા પણ સામેલ છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર રાજ્યમાં એક બસ પુલ સાથે અથડાયા બાદ પલટી ગઈ હતી અને તેમાં સવાર 11 લોકોના મોત થયાં હતાં. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઈજાગ્રસ્તોને સારવારાર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતની જાણ થતાં જ CM ભજનલાલ શર્માએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું હતું કે જીવ ગુમાવવો અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. મૃતકોના શોકગ્રસ્ત પરિવારો સાથે મારી ઊંડી સંવેદના છે. અધિકારીઓ ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરે.

આ બસ સુજાનગઢથી સાલાસર-લક્ષ્મણગઢ-નવલગઢ થઈને જઈ રહી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, બસની સ્પીડ વધુ હોવાને કારણે યોગ્ય વળાંક ન લઈ શકાયો હતો, જેના કારણે આ અકસ્માત થયો હતો. હાલ ઘાયલોને જિલ્લા હોસ્પિટલ લક્ષ્મણગઢ લઈ જવામાં આવ્યા છે. પીસીસી ચીફ ગોવિંદ સિંહ દોતાસરાએ X પર પોસ્ટ કર્યું છે. લક્ષ્મણગઢમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 11 લોકોના મોતના હૃદયદ્રાવક સમાચાર સાંભળીને મને દુઃખ થયું છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular