Tuesday, July 1, 2025
Google search engine
HomeBudget 2024બજેટ-2024: ટુરિઝમ હબ બનાવવામાં આવશે લક્ષદ્વીપ

બજેટ-2024: ટુરિઝમ હબ બનાવવામાં આવશે લક્ષદ્વીપ

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2024-25 માટે બજેટ રજૂ કરતાં લક્ષદ્વીપ માટે મોટી જાહેરાત કરી હતી. નાણા પ્રધાને કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2025માં પાયાના માળકા માટે ખર્ચ વધારીને રૂ. 11.11 લાખ કરોડ કરી દેવામાં આવ્યો છે. માલદીવની સાથે ચાલી રહેલા વિવાદની વચ્ચે ભારતમાં લક્ષદ્વીપ એક મહત્ત્વનું ટુરિસ્ટ પ્લેસ તરીકે જોવામાં આવે છે. આ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. ત્યારે તેમણે અન્ય દેશોએ જતા પ્રવાસીઓને ભારતના આ ખૂબસૂરત દ્વીપ પર આવવાની અપીલ કરી હતી.

વિશ્વમાં ટુરિસ્ટ સ્પોટ તરીકે મશહૂર માલદીવથી માત્ર 700 કિલોમીટરના અંતરે હિન્દ મહાસાગરમાં સ્થિત લક્ષદ્વીપ કેરળના કોચીથી માત્ર 440 કિમીનું અંતર સ્થિત છે. અહીં ટુરિસ્ટ સ્પોટ તરીકે વિકસિત કરવા પર ભારતનો વિરોધ કરવાવાળા માલદીવ જતા પર્યટકોને દેશમાં એક સસ્તું અને આનંદદાયક સ્થળ મળી શકે છે.

ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ 36 નાના-નાના દ્વીપોનો એક સમૂહ છે, જે પર્યટનની દ્રષ્ટિએ બહુ ખૂબસૂરત છે. લક્ષદ્વીપમાં 12 એટોલ, ત્રણ રીફ, પાંચ જળમગ્ન બેન્ક અને અન્ય 10 દ્વીપ છે. વર્ષ 2011ની જન ગણતરી અનુસાર અહીંની વસતિ માત્ર 64,473 લોકોની છે, એમાં 96 ટકા વસતિ મુસ્લિમ છે.  

 

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular