Monday, June 9, 2025
Google search engine
HomeNewsNationalભાજપે ભોજપુરી સ્ટાર પવન સિંહની પક્ષમાંથી હકાલપટ્ટી કરી

ભાજપે ભોજપુરી સ્ટાર પવન સિંહની પક્ષમાંથી હકાલપટ્ટી કરી

નવી દિલ્હીઃ ભાજપે ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી છે. પવન સિંહ કારાકાટ લોકસભા સીટથી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. પવન સિંહને પાર્ટીમાંથી કાઢી મૂકવાનો આદેશ બિહાર ભાજપાધ્યક્ષ સમ્રાટ ચૌધરીના આદેશ પર જારી થયો છે. પવન સિંહ પર આરોપ છે કે તે ndaના સત્તાવાર ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યા છે અને તેમનું એ કામ પક્ષવિરોધી છે.

બિહાર ભાજપ એકમના વડા મથકના પ્રભારી અરવિંદ શર્મા દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં લખવામાં આવ્યું છે કે પવન સિંહ લોકસભા ચૂંટણીમાં NDAના અધિકૃત ઉમેદવાર સામે ચૂંટણી લડી રહ્યા છે. તેમનું કામ પક્ષવિરોધી છે. તેમણે પક્ષની અનુશાસન વિરુદ્ધ આવું કર્યું છે, જેનાથી પક્ષની છબિ ખરાબ થઈ છે. પક્ષવિરોધી પ્રવૃતિઓમાં સંડોવાયેલા હોવાને કારણે પ્રદેશ પ્રમુખના આદેશ મુજબ તેમને ભાજપમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.

આ પહેલાં લોકસભા ચૂંટણી 2024 માટે જાહેર કરાયેલા ઉમેદવારોની પ્રથમ યાદીમાં ભાજપે પશ્ચિમ બંગાળના આસનસોલથી પવન સિંહને ટિકિટ આપી હતી. ભોજપુરી સ્ટારે ટિકિટ મેળવવા પર ભાજપ અને ટોચના નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો અને આસનસોલ સાથેના તેમના લોહી-પસીના અને આજીવિકાના સંબંધ વિશે જણાવ્યું હતું, પરંતુ એક દિવસ પછી તેમણે બંગાળમાંથી ચૂંટણી લડવાની અસમર્થતા વ્યક્ત કરી. ત્યાર પછી ભાજપે તેમના સ્થાને એસએસ અહલુવાલિયાને આસનસોલથી ઉમેદવાર બનાવ્યા. TMCએ આ સીટ પરથી અભિનેતા શત્રુઘ્ન સિંહાને મેદાનમાં ઉતાર્યા છે.

પવન સિંહે થોડા દિવસો પછી જાહેરાત કરી કે તેઓ કારકાટથી ચૂંટણી લડશે. તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું, ‘માતા ગુરુતારા ભૂમેરુ. મતલબ કે માતા આ ભૂમિ કરતાં ઘણી ભારે છે અને મેં મારી માતાને વચન આપ્યું હતું કે હું આ વખતે ચૂંટણી લડીશ.

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular