Saturday, May 17, 2025
Google search engine
HomeNewsNationalબિહાર રાજકારણઃ ચિરાગ પાસવાન–ભાજપ વચ્ચે ગઠબંધન નક્કી થયું

બિહાર રાજકારણઃ ચિરાગ પાસવાન–ભાજપ વચ્ચે ગઠબંધન નક્કી થયું

નવી દિલ્હીઃ બિહારના રાજકારણમાં ચિરાગ પાસવાન અને ભાજપ ફરી એક વાર સાથે દેખાશે, એ લગભગ નક્કી થઈ ગયું છે. ગયા સપ્તાહે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે ચિરાગ પાસવાન સાથે મુલાકાત કરી હતી. હવે ભાજપાધ્યક્ષ જેપી નડ્ડાએ તેમને પત્ર લખીને 18 જુલાઈએ થનારી NDAની મીટિંગમાં આમંત્રિત કર્યા છે. આ પત્રમાં ચિરાગ પાસવાનની પાર્ટી જનશક્તિ (રામ વિલાસ)ને NDAનો મહત્ત્વનો હિસ્સો જણાવ્યો છે.

ભાજપાધ્યક્ષે દિલ્હીની હોટેલ અશોકમાં વડા પ્રધાનની હાજરીમાં NDAની બેઠકમાં ઉપસ્થિત રહેવા ચિરાગ પાસવાનને આમંત્રણ આપ્યું છે. NDAના મહત્ત્વના ઘટક દળ તરીકે તમારી ભૂમિકા અને તમારો સહયોગ ગઠબંધનને ના માત્ર મજબૂત બનાવશે, પણ દેશની વિકાસ યાત્રાને દ્રઢતા પ્રદાન કરશે.

 કાકા કરતાં વધુ લાભ કરાવશે ચિરાગ પાસવાન?

ઓક્ટોબર, 2020માં ચિરાગ પાસવાનના નિધન પછી તેમના કાકા પશુપતિ પારસે પાર્ટી પર દાવો કર્યો હતો. મોદી સરકારમાં તેમને મંત્રી બનાવવામાં આવ્યા હતા, પરંતુ હવે લોકસભા ચૂંટણી 2024થી પહેલાં ભાજપે ફરી એક વાર ચિરાગ પાસવાનનો સાથ લેવાના સંકેત સ્પષ્ટ કરી ચૂકી છે. ચિરાગ પાસવાનની પાસે આ સિવાય કોઈ અન્ય વિકલ્પ પણ નથી દેખાતો.

અહેવાલ છે ચિરાગ પાસવાનને મોદી સરકારમાં મંત્રીપદ અપાય એવી શક્યતા છે. જો એવું થયું તો પશુપતિ પારસની ઉપસ્થિતિ પર સવાલ ઊભા થશે. અહેવાલ છે કે ચિરાગ પાસવાન આગામી લોકસભાની ચૂંટણીમાં કાકા પશુપતિની વિરુદ્ધ અથવા ખુદ ચૂંટણી લડી શકે છે અથવા હાજીપુર લોકસભા સીટ પરથી પાર્ટીના કોઈ મોટો ચહેરો ઉતારી શકે છે. રામ વિલાસ પાસવાન આ સીટ પરથી આઠ વાર સાંસદ ચૂંટાઈ આવ્યા છે. ચિરાગ હાલ જમુઈથી સાંસદ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular