Friday, May 23, 2025
Google search engine
HomeNewsMumbai'ધનુષ્યબાણ' ચૂંટણી પ્રતિક શિંદે જૂથને ફાળવાયું

‘ધનુષ્યબાણ’ ચૂંટણી પ્રતિક શિંદે જૂથને ફાળવાયું

મુંબઈઃ ચૂંટણી પંચે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને સાચી શિવસેના તરીકે માન્ય રાખી છે અને તેને શિવસેના નામ તથા ધનુષ્ય-બાણનું ચૂંટણી પ્રતિક જાળવી રાખવાની છૂટ આપી છે. ચૂંટણી પંચે એવું અનુમાન વ્યક્ત કર્યું છે કે શિવસેનાનું હાલનું બંધારણ બિનલોકતાંત્રિક છે.

ચૂંટણી પંચનો આ નિર્ણય ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેના નેતૃત્ત્વ હેઠળની શિવસેના પાર્ટીને મોટો ફટકો પડ્યો છે જ્યારે શિંદે જૂથનો મોટો વિજય થયો છે. કારણ કે, બંને જૂથ ધનુષ્ય-બાણ પ્રતિક માટે લડી રહ્યા છે. એકનાથ શિંદે ગયા વર્ષે શિવસેના પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરીને છૂટા પડ્યા હતા.

ચૂંટણી પંચના આજના નિર્ણય અંગે એકનાથ શિંદેએ કહ્યું કે આ બાળાસાહેબ ઠાકરેના વિચારોનો વિજય છે. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના જૂથ સાથે સરકાર ચલાવતા ભારતીય જનતા પાર્ટીએ પણ ચૂંટણી પંચના નિર્ણયને આવકાર્યો છે.

બીજી બાજુ, ઉદ્ધવ ઠાકરેનું જૂથ ચૂંટણી પંચના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારે એવી શક્યતા જોવાય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular