Monday, June 16, 2025
Google search engine
HomeNewsNationalદીપોત્સવ: 15.76 લાખ દીવડા પ્રજ્વલિત કરાયા; વિશ્વવિક્રમ

દીપોત્સવ: 15.76 લાખ દીવડા પ્રજ્વલિત કરાયા; વિશ્વવિક્રમ

અયોધ્યાઃ ઉત્તર પ્રદેશના આ પ્રસિદ્ધ યાત્રાસ્થળ ખાતે દિવાળી તહેવારની પૂર્વસંધ્યાએ, ગઈ કાલે સાંજે રાજ્ય સરકારપ્રેરિત દીપોત્સવ ઉજવણી નિમિત્તે સરયૂ નદીના કાંઠે ‘રામ કી પૈડી’ ઘાટ ખાતે 15 લાખ 76 હજાર દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા એ સાથે જ માટીના બનાવેલા, તેલ ભરેલા અને રૂની દિવેટવાળા દીવડા (કોડિયા)ના એક જ સ્થળે સૌથી મોટા પ્રદર્શનનો એક નવો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે.

આ વિશ્વવિક્રમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં સર્જાયો હતો. તે ઐતિહાસિક પ્રસંગે હજારો શ્રદ્ધાળુઓ, આમજનતા તથા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

અયોધ્યાની અવધ યુનિવર્સિટીનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ વિક્રમ બનાવવામાં મુખ્યત્વે યોગદાન આપ્યું છે.

વડા પ્રધાન મોદીએ દીપોત્સવનો શુભારંભ કરાવ્યો એ સાથે જ ‘રામ કી પૈડી’ ઘાટ ખાતે ‘શ્રી રામ જય રામ જય જય રામ’ના ગગનભેદી નારા સાથે લાખો દીવડા એક પછી એક પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા.

ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ સંસ્થાના પ્રતિનિધિઓ પણ એ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં અને એમણે જ વિશ્વ વિક્રમ નોંધાયાની ઘોષણા કરી હતી.

(તસવીર સૌજન્યઃ @uptourismgov)

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને એ વિશેનું સર્ટિફિકેટ સુપરત કરવામાં આવ્યું હતું અને વડા પ્રધાન મોદીએ એમને, અયોધ્યા તથા રાજ્યને અભિનંદન આપ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular