Monday, June 9, 2025
Google search engine
HomeNewsNationalકેદારનાથમાં ઓટોમેટિક મોસમ મથક સ્થાપિત કરાયું

કેદારનાથમાં ઓટોમેટિક મોસમ મથક સ્થાપિત કરાયું

દેહરાદૂનઃ ઉત્તરાખંડ રાજ્યના રૂદ્રપ્રયાગ જિલ્લાના સત્તાવાળાોએ કેદારનાથ ધામમાં સ્વયંચલિત હવામાન મથક સ્થાપિત કરાવ્યું છે. આ મથક હિમાલય પર્વતમાળામાં સ્થિત મંદિર નગર કેદારનાથમાંથી હવામાન અંગે ચોવીસ કલાક સચોટ જાણકારી આપતું રહેશે. આ વેધર સ્ટેશન આઈઆઈટી-કાનપુરના વિજ્ઞાનીઓની મદદથી સ્થાપિત કરવામાં આવ્યું છે.

2013માં કેદારનાથમાં ભયાનક પૂર આવ્યું હતું, જેમાં સેંકડો લોકો માર્યા ગયા હતા. એ દુર્ઘટનાને ધ્યાનમાં લઈને સત્તાવાળાઓએ આ મોસમ મથક સ્થાપિત કરાવ્યું છે જે ચારધા યાત્રા વખતે કેદારનાથમાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને હવામાનની પરિસ્થિતિ અંગે સતત જાણકારી આપતું રહેશે. રૂદ્રપ્રયાગ જિલ્લા વહીવટીતંત્રએ કરેલી વિનંતી પરથી આઈઆઈટી-કાનપુરના પ્રોફેસર ઈન્દ્રસેને આ વેધર સ્ટેશન વિકસાવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular